૪ ઓક્ટોબર
ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ સવારે ખુશ થવાનું અને આનંદિત થવાનું એક કારણ તો આપે જ છે. આ કારણ, પ્રસંગ કે તક આપણે જ આખા દિવસમાંથી આપણી સાથે બનેલી ઘટનાઓમાંથી શોધવાની હોય છે. આજનો દિવસ ખરાબ ગયો કે આજનો દિવસ સારો ગયો તે માત્ર આપણેજ નક્કી કરેલી પરિસ્થિતિ છે. જે દિવસને આપણે ખરાબ ગણીએ છીએ એ દિવસે પણ એક સારી વસ્તુ તો આપણી સાથે એ ખરાબ દિવસમાં પણ થઇ જ હોય છે. આપણે સારી વસ્તુને ફક્ત યાદ રાખવાની જ ટેવ પાડવાની હોય છે. ધીરે ધીરે એમ જ લાગશે કે મારી સાથે બધું જ સારું જ થાય છે.
લેખકકીર્તિ ત્રાંબડીયા
on June 6, 2020 at 11:21 pm -
વાહ એકદમ સત્ય કહ્યું, ટુંકમાં કહું તો દુનિયા કોઈ માણસને કોઈ દુઃખી કે સુખી કરી શકતું નથી. માણસ પોતે જ દુઃખ કે સુખનું કારણ હોય છે………….
લેખકDr. Ashish Chokshi
on June 7, 2020 at 4:46 pm -
આભાર