ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિમાં બે વસ્તુઓ એકસરખી જ વંહેચી છે સુખ અને દુઃખ. દુઃખ એ વાસ્તવિક કરતા કાલ્પનિક વધુ હોય છે. દુઃખ વ્યક્તિને અસંતોષ, અપૂર્ણતા અને નિરાશા આપે છે. આ અસંતોષ, અપૂર્ણતા અને નિરાશામાંથી જ સારી અને હકારાત્મક વસ્તુઓ શોધી આગળ વધવું તે જ જીવન પ્રત્યેનો પ્રેમ છે. મારી આ પુસ્તિકામાં ક્યાંક જોયેલા, વાંચેલા, સાંભળેલા અને પ્રત્યક્ષ અનુભવેલા પ્રસંગો છે. આ પ્રસંગોમાં ક્યાંક કોઈકે ગુમાવ્યું છતાં પોઝીટીવ પ્રયત્નો કર્યા છે, કોઈકે કોઈને આપવાની ભાવના રાખી છે, ક્યાંક ત્યાગની વાત છે તો ક્યાંક કશું જ નહતું છતાં હકારાત્મક પ્રયત્નોથી સફળતા મેળવ્યાની વાત છે. આ પુસ્તક વાંચ્યા પછી વાચકનું મન હકારત્મક વિચારોથી તરબતર કરી નવી ઉર્જા સાથે પોતાનું કાર્ય આગળ વધારવા માટે પ્રેરણા આપે તેવી આશા સાથે....... ડો.આશિષ ચોક્સી.
આ
અસંતોષ અને અપૂર્ણતા પૂરી કરવા માટે રોજબરોજની ઘટના માંથી કોઈને કોઈ પોઝીટીવીટી શોધી હકારાત્મક પ્રયત્નો કરવા એટલે જીવન પ્રત્યેનો પ્રેમ
લેખકAmit Vaghela
on March 8, 2018 at 11:35 am -
Your directions to handle kids and mould them to positive direction are invaluable. As I m not good in reading Gujarati and writing as well so I would like to request u to plz post it in English also if possible
લેખકDr. Ashish Chokshi
on March 12, 2018 at 12:54 am -
thanks amitbhai